<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>I am Vadodara</title>
	<atom:link href="https://www.iamvadodara.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://www.iamvadodara.com</link>
	<description></description>
	<lastBuildDate>Thu, 23 Jan 2025 17:24:34 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.7.5</generator>

<image>
	<url>https://www.iamvadodara.com/wp-content/uploads/2020/07/cropped-I-Am-Vadodara-logo-png-2-32x32.png</url>
	<title>I am Vadodara</title>
	<link>https://www.iamvadodara.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>સરકારી યોજનાઓના લાભો નાગરિકો સુધી પહોંચાતું અટલ સાંસદ જનસેવા કેન્દ્ર</title>
		<link>https://www.iamvadodara.com/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b2%e0%aa%be%e0%aa%ad%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%be%e0%aa%97/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=%25e0%25aa%25b8%25e0%25aa%25b0%25e0%25aa%2595%25e0%25aa%25be%25e0%25aa%25b0%25e0%25ab%2580-%25e0%25aa%25af%25e0%25ab%258b%25e0%25aa%259c%25e0%25aa%25a8%25e0%25aa%25be%25e0%25aa%2593%25e0%25aa%25a8%25e0%25aa%25be-%25e0%25aa%25b2%25e0%25aa%25be%25e0%25aa%25ad%25e0%25ab%258b-%25e0%25aa%25a8%25e0%25aa%25be%25e0%25aa%2597</link>
					<comments>https://www.iamvadodara.com/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b2%e0%aa%be%e0%aa%ad%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%be%e0%aa%97/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Team IAV]]></dc:creator>
		<pubDate>Thu, 23 Jan 2025 17:03:02 +0000</pubDate>
				<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[#aadharcard]]></category>
		<category><![CDATA[#Baroda]]></category>
		<category><![CDATA[#jansevakendra]]></category>
		<category><![CDATA[#Mpvadodara]]></category>
		<category><![CDATA[#Pradhanmantriayushmancard]]></category>
		<category><![CDATA[#Vadodara]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1437</guid>

					<description><![CDATA[આજની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકારી યોજનાઓ સુધી તેમની પહોંચ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતે તેના વૈવિધ્યસભર અને વિશાળ જનસંખ્યા વચ્ચે એક એવી ઇકોસિસ્ટમની રચના કરી છે કે જ્યાં શાસનના લાભો ખૂબજ વંચિત સમુદાયો સુધી પણ પહોંચે છે. વડોદરા સ્થિત અટલ સાંસદ જનસેવા કેન્દ્ર સરકારી નીતિઓ અને નાગરિકો વચ્ચે સીધા સંપર્ક તરીકે કામ કરતાં આ વિઝનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. તે એવું પ્લેટફોર્મ પ્રદાન કરે છે...]]></description>
										<content:encoded><![CDATA[<p>આજની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકારી યોજનાઓ સુધી તેમની પહોંચ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતે તેના વૈવિધ્યસભર અને વિશાળ જનસંખ્યા વચ્ચે એક એવી ઇકોસિસ્ટમની રચના કરી છે કે જ્યાં શાસનના લાભો ખૂબજ વંચિત સમુદાયો સુધી પણ પહોંચે છે.</p>
<div id="attachment_1438" style="width: 310px" class="wp-caption alignright"><img fetchpriority="high" decoding="async" aria-describedby="caption-attachment-1438" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2025/01/IMG-1-300x169.jpg" alt="IMG: Vadodara Collector Office" width="300" height="169" /><p id="caption-attachment-1438" class="wp-caption-text">Collector Office Vadodara</p></div>
<p>વડોદરા સ્થિત અટલ સાંસદ જનસેવા કેન્દ્ર સરકારી નીતિઓ અને નાગરિકો વચ્ચે સીધા સંપર્ક તરીકે કામ કરતાં આ વિઝનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. તે એવું પ્લેટફોર્મ પ્રદાન કરે છે કે જ્યાં આવશ્યક સેવાઓ અસરકારક રીતે ડિલિવર કરી શકાય છે અને તેનાથી સુનિશ્ચિત કરાય છે કે વિકાસની દિશામાં આગળ વધવામાં કોઇપણ પાછળ રહી ન જાય. (ઓન-કોલ સપોર્ટ માટે <strong>9687872024</strong> ઉપર કેન્દ્રનો સંપર્ક કરો).</p>
<h4><b>અટલ સાંસદ જનસેવા કેન્દ્રની ભૂમિકા</b></h4>
<p><img decoding="async" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2025/01/IMG-2-300x196.jpg" alt="" width="300" height="196" /></p>
<p>અટલ સાંસદ જનસેવા કેન્દ્ર માહિતીના પ્રસાર તથા વિવિધ સરકારી યોજનાઓ સુધીની પહોંચને સુવિધાજનક બનાવવા માટે એક કેન્દ્ર તરીકે કામ કરે છે. આ પહેલ વિશેષ કરીને વંચિતો માટે સેવાની ડિલિવરીમાં ખાઇને ભરપાઇ કરે છે.<strong> વડોદરા જિલ્લાની જનસંખ્યા લગભગ 41.7 લાખ છે, જ્યાં લગભગ 20 ટકા વસતી 336 ઝૂંપડપટ્ટીમાં રહે છે (2005 સર્વે ડેટા).</strong> આ કલ્યાણકારી કાર્યક્રમો સુધીની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારના કેન્દ્રોની આવશ્યકતા રહે છે.</p>
<p><img decoding="async" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2025/01/IMG-3-169x300.jpg" alt="" width="169" height="300" /></p>
<p>આ કેન્દ્ર આરોગ્યથી લઇને નાણાકીય સશક્તિકરણ સુધીની વિવિધ યોજનાઓ ઓફર કરે છે, જે સમાજના દરેક વર્ગના ઉત્કર્ષ માટે ડિઝાઇન કરાઇ છે. ડિજિટલ ઇન્ડિયા પહેલનો ઉપયોગ કરતાં આ કેન્દ્ર આધાર નોંધણી, આવકનો દાખલો અને આયુષ્માન ભારત કાર્ડની અરજી જેવી પ્રક્રિયાઓને સુવિધાજનક બનાવીને સરકારી યોજનાઓને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવે છે.</p>
<h3><b> </b></h3>
<h3><b>આયુષ્માન ભારત મીશન – ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમની રચના</b></h3>
<p>પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જય) તરીકે ઓળખાતી આયુષ્માન ભારત યોજના કેન્દ્ર દ્વારા ઓફર કરાતી સૌથી પરિવર્તનકારી આરોગ્યલક્ષી પહેલો પૈકીની એક છે. આ યોજના 1,350થી વધુ તબીબી પરિસ્થિતિઓમાં વિનામૂલ્ય સારવાર પ્રદાન કરે છે, જેમાં વાર્ષિક રૂ. 5 લાખ સુધીની આક ધરાવતા પરિવારો માટે હોસ્પિટલાઇઝેશન ખર્ચ પણ કવર થઇ જાય છે. આ કેન્દ્રમાં નોંધણીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરાઇ છે, <b>જ્યાં 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેમનું કાર્ડ માત્ર 10 મીનીટમાં પ્રાપ્ત કરે છે, જ્યારેકે અન્યને 10-15 દિવસનો સમય લાગે છે.</b></p>
<p>આ કેન્દ્રની મુલાકાત દરમિયાન મેં ત્યાંના ઓપરેટર હેતલ ભટ્ટ સાથે ચર્ચા કરી હતી. તેમણે આ સ્કીમ કેવી રીતે લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે તેના વિશે રસપ્રદ વિગતો આપી હતી. આવી જ એક વાર્તા શ્રીમતી રંજુ સાબીખીની છે, જેમના માતાએ આ કેન્દ્રમાં આયુષ્માન ભારત કાર્ડ પ્રાપ્ત કર્યુ. તેમણે વિશેષ કરીને કર્મચારીઓની કાર્યક્ષમતા અને પ્રોફેશ્નલાઝિમ સાથે  મદદગાર સ્વભાવની પ્રશંસા કરી હતી. <b>યુવા પેઢીને નાગરિકોને ખંતપૂર્વક મદદ કરતા જોઈને તેમનામાં આશાનો સંચાર થયો. </b>તેમણે કહ્યું હતું કે કેવી રીતે થોડી જ મીનીટમાં કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી અને આ જોઇને તેઓ સેવાથી અભિભૂત થયાં હતાં.  આવા ઉદાહરણો આરોગ્યસંભાળ અસમાનતાઓને દૂર કરવામાં નીતિની અસરને દર્શાવે છે. <b>[</b><a href="https://drive.google.com/file/d/1d2DOmOvKxdUq4fujNT7Af0KyLj5RY-Hp/view?usp=sharing"><b>Video Feedback</b></a><b>]</b></p>
<p><b>મુદ્રા લોન, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અને બીજી સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓ</b></p>
<p>સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને ટેકો આપવા માટે ડિઝાઇન કરાયેલા મુદ્રાન લોન કેન્દ્ર દ્વારા સંચાલિત વધુ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ પહેલ રૂ. 10 લાખ સુધીની લોન આપે છે, જેનાથી નાના વ્યવસાયના માલિકો, શેરી વિક્રેતાઓ અને ઉભરતાં ઉદ્યોગસાહસિકો તેમના સાહસનો વિકાસ કરી શકે છે. આ સ્કીમને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવી છેઃ શિશુ (રૂ. 50,000 સુધીની લોન), કિશોર (રૂ. 50,001થી રૂ. 5,00,000) અને તરૂણ (રૂ. 5,00,001થી રૂ. 10,00,000). કેન્દ્ર ખાતેના ઓપરેટર સાથેની ચર્ચા મૂજબ વડોદરામાં ગ્રામીણ વિસ્તારોના ઘણાં ઉદ્યોગસાહસિકોએ તેમના વ્યવસાયના વિકાસ માટે મુદ્રા લોનનો લાભ લીધો છે.</p>
<p>બીજી તરફ સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમ ઉદ્યોગસાહસિક સમાનતાને પ્રોત્સાહન આપે છે. તે ઉત્પાદન, સેવાઓ અથવા વેપાર ક્ષેત્રોમાં ગ્રીનફિલ્ડ સાહસો સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. દરેક બેંક શાખાને વાર્ષિક ઓછામાં ઓછા બે આવા પ્રોજેક્ટ્સને ટેકો આપવાનો આદેશ આપવામાં આવે છે.</p>
<p>દરેક માટે સુરક્ષાઃ આ કેન્દ્રો વિવિધ કલ્યાણકારી યોજનાઓની સુવિધા પ્રદાન કરે છે, જેથી વંચિત સમૂહોની નાણાકીય અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.</p>
<ul>
<li aria-level="1"><b>અટલ પેન્શન યોજનાઃ અસંગઠિતક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમ</b></li>
<li aria-level="1"><b>પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાઃ 18-50 વર્ષ વચ્ચેના વ્યક્તિઓ માટે જીવનવીમા કવચ</b></li>
<li aria-level="1"><b>વિધવા સહાય યોજનાઃ વિધવાઓ માટે નાણાકીય સહાય</b></li>
<li aria-level="1"><b>વ્હાલી દિકરી યોજનાઃ બાળકીઓના અભ્યાસ અને લગ્ન માટે સપોર્ટ</b></li>
</ul>
<p><b>ડિજિટલ ઇન્ડિયા દ્વારા નાગરિકો સુધી નીતિઓની પહોંચમાં વધારો</b><b></b></p>
<p>અટલ સાંસદ જનસેવા કેન્દ્રની સફળતા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીની ડિજિટલ પહેલને પણ આભારી છે. પ્રક્રિયાઓના ડિજિટાઇઝેશન દ્વારા આ કેન્દ્ર સેવાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરે છે. વડોદરા માટે આ વિશેષ છે કે જ્યાં વસતીના વિશાળ સમૂહને લાભો લેવામાં મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.</p>
<p>આયુષ્માન ભારત, મુદ્રા લોન અને સ્ટેન્ડ-અપ ઇન્ડિયા જેવા મુખ્ય કાર્યક્રમોની વ્યાપક સુલભતા પ્રદાન કરીને આ કેન્દ્ર વ્યક્તિઓને સ્વસ્થ, વધુ સુરક્ષિત અને આર્થિક રીતે સ્થિર જીવન જીવવા માટે સશક્ત બનાવે છે.</p>
<p>નાગરિકો માટે રાજકીય ગપશપથી આગળ વધતાં આ નીતિઓ વિશે જાગૃકતામાં વધારો થાય તે જરૂરી છે. આ કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓનો ઉપયોગ કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરતાં આપણે સામૂહિકરૂપે સુનિશ્ચિત કરી શકીએ કે સરકાર દ્વારા અપાતા લાભો સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે. ચાલો, આપણે સકારાત્મક પરિવર્તનનું નેતૃત્વ કરીએ તથા નીતિઓ અને કામગીરી વચ્ચેની ખાઇને દૂર કરીએ.</p>
<p><b>આ કેન્દ્રની કામગીરી ઉપર દેખરેખ રાખતાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, અટલ સાંસદ જનસેવા કેન્દ્ર માત્ર કેન્દ્ર જ નહીં, પરંતુ તે દરેક વ્યક્તિને તેમના હકો અને અવસર સુધીની પહોંચ પ્રદાન કરે છે. ભેગા મળીને આપણે એવાં રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ કે જ્યાં કોઇ પાછળ રહી ન જાય. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સૂત્ર સાથે મજબૂત ભારતની રચનાની દિશામાં આપણી સામૂહિક સફર છે.</b></p>
<p>&nbsp;</p>
<p><b>Connect </b><a href="https://www.instagram.com/bhatt.shivesh/"><b>@bhatt.shivesh</b></a><b> / </b><a href="https://www.linkedin.com/in/bhatt-shivesh/"><b>Shivesh Bhatt</b></a><b> (Opinion Columnist)</b></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b2%e0%aa%be%e0%aa%ad%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%be%e0%aa%97/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>પ્રોજેકટ ટેક ઉડાન: રાજ્ય માં પ્રથમ વાર આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ કોમ્પ્યુટર થકી ભણાવી &#8220;સ્માર્ટ&#8221; બનાવવાનો અનોખો પ્રયાસ</title>
		<link>https://www.iamvadodara.com/computer-lab-start-by-sms-foundation-vadodara/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=computer-lab-start-by-sms-foundation-vadodara</link>
					<comments>https://www.iamvadodara.com/computer-lab-start-by-sms-foundation-vadodara/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Sat, 02 Mar 2024 10:06:05 +0000</pubDate>
				<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[#Socialcause #Smsvadodara #Vadodara #Baroda]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1424</guid>

					<description><![CDATA[વડોદરા, તા. 2 માર્ચ રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં સેવા મનોરથ સમિતી (SMS) દ્વારા પ્રથમ વખત આંગણવાડીમાં પ્રોજેક્ટ ટેક ઉડાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આંગણવાડીમાં ભણતા બાળકો માટે ઇન્ટરનેટ સહિત કોમ્પ્યુટર લેબ ખોલવામાં આવી છે. આયોજક દિપ પરીખ જણાવે છે કે, વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની સાથે કોમ્પ્યુટર થકી ઝડપથી શીખે, અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખશે તેવો અમને વિશ્વાસ છે. વડોદરામાં અગોરામોલ પાછળ આવેલી આંગણવાડીમાં રાજ્યની પ્રથમ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં...]]></description>
										<content:encoded><![CDATA[<p>વડોદરા, તા. 2 માર્ચ</p>
<p>રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં સેવા મનોરથ સમિતી (SMS) દ્વારા પ્રથમ વખત આંગણવાડીમાં પ્રોજેક્ટ ટેક ઉડાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આંગણવાડીમાં ભણતા બાળકો માટે ઇન્ટરનેટ સહિત કોમ્પ્યુટર લેબ ખોલવામાં આવી છે. આયોજક દિપ પરીખ જણાવે છે કે, વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની સાથે કોમ્પ્યુટર થકી ઝડપથી શીખે, અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખશે તેવો અમને વિશ્વાસ છે. વડોદરામાં અગોરામોલ પાછળ આવેલી આંગણવાડીમાં રાજ્યની પ્રથમ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે</p>
<p><img loading="lazy" decoding="async" class="wp-image-1425 alignnone size-full" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_3013643790428100220038.jpg" width="2000" height="1334" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_3013643790428100220038.jpg 2000w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_3013643790428100220038-300x200.jpg 300w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_3013643790428100220038-1024x683.jpg 1024w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_3013643790428100220038-768x512.jpg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_3013643790428100220038-1536x1025.jpg 1536w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_3013643790428100220038-550x367.jpg 550w" sizes="(max-width: 2000px) 100vw, 2000px" /></p>
<p>સેવા મનોરથ સમિતી (SMS) ના ફાઉન્ડર દિપ પરીખ જણાવે છે કે, રાજ્યમાં પ્રથમ વખત આંગણવાડીમાં અમારા દ્વારા કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબમાં વિદ્યાર્થીઓ માટે હાલ બે કોમ્પ્યુટર સિસ્ટમ મુકવામાં આવી છે. આ કોમ્પ્યુટર સિસ્ટમ થકી શરૂઆતના સમયમાં બાળકો પશુ-પક્ષી, શાકભાજી, ફળો, વિવિધ રંગો, એબીસીડી જેવા વિષયો અંગે જાણશે. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે, જેમ બાળકો પાઠ્ય પુસ્તકોના માધ્યમથી ભણવા-ગણવાનું શીખે, તે જ રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તેમના જ્ઞાનને વધુ સુદ્રઢ બનાવે. બાળકો સમજણા થાય તે ઉંમરથી કોમ્પ્યુટરનો સદઉપયોગ કરતા શીખે તો તેઓને ભવિષ્યમાં વધુ સારી રીતે આગળ વધમાં મદદરૂપ થઇ શકે છે, આ વાતનો અમને વિશ્વાસ છે.</p>
<p><img loading="lazy" decoding="async" class="wp-image-1426 alignnone size-full" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_30084534194276880274584.jpg" width="1366" height="2048" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_30084534194276880274584.jpg 1366w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_30084534194276880274584-200x300.jpg 200w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_30084534194276880274584-683x1024.jpg 683w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_30084534194276880274584-768x1151.jpg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_30084534194276880274584-1025x1536.jpg 1025w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_30084534194276880274584-550x825.jpg 550w" sizes="(max-width: 1366px) 100vw, 1366px" /></p>
<p>દિપ પરીખ જણાવે છે કે, રાજ્યમાં આ પ્રકારનો પ્રયોગ અમે પ્રથમ વખત કરી રહ્યા છે. ટુંક સમયમાં શહેરમાં અન્ય 4 જેટલી આંગણવાડીઓમાં આ પ્રકારે કોમ્પ્યુટર લેબ શરૂ કરવાનું અમારૂ પ્લાનીંગ છે. અમારી કોમ્પ્યુટર લેબમાં ઇન્ટરનેટની સુવિધા પણ હશે, જેથી બાળકો કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરવાનું શીખશે. આ માટે અનુભવી શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે. હાલ આંગણવાડીમાં 2 કોમ્પ્યુટર ડિવાઇઝ મુકવામાં આવ્યા છે. આવનાર સમયમાં જરૂર પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે</p>
<p><img loading="lazy" decoding="async" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29858005532271680082262.jpg" class="wp-image-1432 alignnone size-full" width="2000" height="1334" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29858005532271680082262.jpg 2000w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29858005532271680082262-300x200.jpg 300w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29858005532271680082262-1024x683.jpg 1024w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29858005532271680082262-768x512.jpg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29858005532271680082262-1536x1025.jpg 1536w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29858005532271680082262-550x367.jpg 550w" sizes="(max-width: 2000px) 100vw, 2000px" /></p>
<p>સ્થાનિક કોર્પોરેટર ડો. રાજેશ શાહ જણાવે છે કે, સેવા મનોરથ સમિતિ (SMS) દ્વારા રાજ્યમાં પ્રથમ વખત સેવા વસ્તીમાં આવેલી આંગણવાડીમાં મુકવામાં આવેલા ઈન્ટરનેટની સુવિધા સાથેના કોમ્પ્યુટર નાના ભૂલકાઓના ઘડતરમાં ટેકનોલોજીનો મહત્વનો પાયો નાખશે. આવનાર સમયમાં તેના સુખદ પરીણામો આપણી સમક્ષ હશે. દીપ પરીખ અને તેમની ટીમના આ પ્રયાસની સરાહના કરીએ તેટલી ઓછી છે.</p>
<p><img loading="lazy" decoding="async" class="wp-image-1428 alignnone size-full" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29825686624706584575425.jpg" width="2000" height="1334" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29825686624706584575425.jpg 2000w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29825686624706584575425-300x200.jpg 300w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29825686624706584575425-1024x683.jpg 1024w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29825686624706584575425-768x512.jpg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29825686624706584575425-1536x1025.jpg 1536w, https://www.iamvadodara.com/wp-content/uploads/2024/03/kr5_29825686624706584575425-550x367.jpg 550w" sizes="(max-width: 2000px) 100vw, 2000px" /></p>
<p>શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું પણ આયોજન</p>
<p>પ્રોજેક્ટ પ્રોજેક્ટ ટેક ઉડાન અંતર્ગત મુકવામાં આવેલા કોમ્પ્યુટર્સનો આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપયોગ કરશે. તે બાદ પીએમ આવાસ યોજનામાં રહેતા અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓેને પણ કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવનાર છે. તે દરમિયાન ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને અલગ તારવામાં આવશે. અમારા દ્વારા આવા ટેલેન્ટેડ 5 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્ષમાં એડમિશન શિષ્યવૃત્તિના ભાગરૂપે કરાવી આપવામાં આવશે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/computer-lab-start-by-sms-foundation-vadodara/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ભારતમાં JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો, કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી</title>
		<link>https://www.iamvadodara.com/india-detected-covid-new-varient-case/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=india-detected-covid-new-varient-case</link>
					<comments>https://www.iamvadodara.com/india-detected-covid-new-varient-case/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Tue, 19 Dec 2023 03:07:34 +0000</pubDate>
				<category><![CDATA[National News]]></category>
		<category><![CDATA[#Covid19]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1421</guid>

					<description><![CDATA[રાજ્યો નિયમિત ધોરણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરશે અને તેનું નિરીક્ષણ કરશે ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, &#8220;કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા દરે જાળવી શક્યા છીએ.&#8221; રાજ્યોને કોવિડ -19 માટે...]]></description>
										<content:encoded><![CDATA[
<p><strong>રાજ્યો નિયમિત ધોરણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરશે અને તેનું નિરીક્ષણ કરશે</strong></p>



<p>ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, &#8220;કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા દરે જાળવી શક્યા છીએ.&#8221; રાજ્યોને કોવિડ -19 માટે સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકાઓનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું.</p>



<p><strong>કોવિડ-19 એડવાઈઝરી</strong></p>



<ul class="wp-block-list">
<li>રાજ્યોએ તમામ આરોગ્ય સુવિધાઓમાં જિલ્લાવાર ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી&nbsp;(આઈએલઆઈ)&nbsp;અને ગંભીર તીવ્ર શ્વસન બિમારી&nbsp;(એસએઆરઆઈ)&nbsp;કેસોની દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવો.&nbsp;જેમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ&nbsp;(આઇએચઆઇપી)&nbsp;પોર્ટલનો સમાવેશ થાય છે,&nbsp;જેથી કેસોના પ્રારંભિક વધતા વલણને શોધી શકાય.</li>



<li>રાજ્યોને કોવિડ&nbsp;-19&nbsp;પરીક્ષણ માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓમાં પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા અને RTPCR અને એન્ટિજેન પરીક્ષણોમાં ભલામણ કરવામાં આવેલા હિસ્સાને જાળવવાની સલાહ.</li>



<li>રાજ્યોને RTPCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ ભારતીય સાર્સ કોવ&nbsp;-2&nbsp;જિનોમિક્સ કન્સોર્ટિયમ&nbsp;(આઇએનએસએસીઓજી)&nbsp;પ્રયોગશાળાઓમાં મોકલવા. &nbsp;જેથી દેશમાં નવા વેરિએન્ટ્સ,&nbsp;જો કોઈ હોય તો,&nbsp;સમયસર શોધી શકાય.</li>



<li>રાજ્યોએ પણ કોવિડ&nbsp;-19&nbsp;ના સંચાલનમાં તેમનો સતત ટેકો મેળવવા માટે સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ,&nbsp;જેમાં શ્વસન સ્વચ્છતાના પાલનનો પણ સમાવેશ થાય છે.</li>
</ul>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/india-detected-covid-new-varient-case/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>દિવાળી પર્વ પર લેબલ જોયા વગર લીધેલી મીઠાઇ લાભપાંચમ સુધી પણ નહિ ચાલે, એક્સપાયરી ડેટ જોવામાં ગફલત ખાધી તો પૈસા પડી જશે</title>
		<link>https://www.iamvadodara.com/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%b2%e0%ab%87%e0%aa%ac%e0%aa%b2-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%af%e0%aa%be-%e0%aa%b5/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=%25e0%25aa%25a6%25e0%25aa%25bf%25e0%25aa%25b5%25e0%25aa%25be%25e0%25aa%25b3%25e0%25ab%2580-%25e0%25aa%25aa%25e0%25aa%25b0%25e0%25ab%258d%25e0%25aa%25b5-%25e0%25aa%25aa%25e0%25aa%25b0-%25e0%25aa%25b2%25e0%25ab%2587%25e0%25aa%25ac%25e0%25aa%25b2-%25e0%25aa%259c%25e0%25ab%258b%25e0%25aa%25af%25e0%25aa%25be-%25e0%25aa%25b5</link>
					<comments>https://www.iamvadodara.com/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%b2%e0%ab%87%e0%aa%ac%e0%aa%b2-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%af%e0%aa%be-%e0%aa%b5/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Wed, 08 Nov 2023 07:27:47 +0000</pubDate>
				<category><![CDATA[Business]]></category>
		<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[Diwali-Festival-Sweet-Distribute-expiredate-hanuram-food]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1418</guid>

					<description><![CDATA[દેશભરમાં દિવાળીની અલગ જ રોનક જોવા મળી રહી છે. આ પર્વ નિમિત્તે રોશની કરવી, નવા કપડાં ખરીદવા માટે માર્કેટમાં કિડીયારૂ ઉભરાય છે. ત્યારે આ પર્વ પર મીઠાઇ ખાઇ અને ખવડાવીને મીઠી શુભેચ્છાઓ પાઠવવાનું ચલણ હાલના દિવસોમાં વધ્યું છે. ત્યારે વડોદરાના જાગૃત નાગરિક દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે હનુરામ સ્વીટ્સના સ્ટોલ પરથી મીઠાઇ ખરીદી હતી. દિવાળી પર્વ પર ખરીદેલી મીઠાઇની એકસપાયરી ડેટ એક અઠવાડિયામાં પુર્ણ થતી હોવાથી તેઓ આશ્ચર્યમાં...]]></description>
										<content:encoded><![CDATA[
<p></p>



<p>દેશભરમાં દિવાળીની અલગ જ રોનક જોવા મળી રહી છે. આ પર્વ નિમિત્તે રોશની કરવી, નવા કપડાં ખરીદવા માટે માર્કેટમાં કિડીયારૂ ઉભરાય છે. ત્યારે આ પર્વ પર મીઠાઇ ખાઇ અને ખવડાવીને મીઠી શુભેચ્છાઓ પાઠવવાનું ચલણ હાલના દિવસોમાં વધ્યું છે. ત્યારે વડોદરાના જાગૃત નાગરિક દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે હનુરામ સ્વીટ્સના સ્ટોલ પરથી મીઠાઇ ખરીદી હતી. દિવાળી પર્વ પર ખરીદેલી મીઠાઇની એકસપાયરી ડેટ એક અઠવાડિયામાં પુર્ણ થતી હોવાથી તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા. આ અંગે સ્ટોલ પર જવાબદાર વ્યક્તિને પુછતા તેણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, આટલું તો ચાલે જ ને.</p>



<figure class="wp-block-image size-large"><img decoding="async" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/11/IMG_20231108_124516_188.jpg" alt="" class="wp-image-1415"/></figure>



<p>કારેલીબાગ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક દિપ તેમના અનુભવને લઇને જણાવે છે કે, દિવાળી પર્વ પર દર વર્ષે હું મોટા પ્રમાણમાં મીઠાઇ ખરીદું છું. અને સ્વજન અને અત્યંત નિકટના લોકોને ભેંટ સ્વરૂપે આપું છું. આજે સવારે શહેરના મુક્તાનંદ સર્કલ પાસે આવેલા હનુરામ સ્વીટ્સના કાઉન્ટર પરથી મીઠાઇના બોક્સ ખરીદ્યા હતા. બોક્સ ખરીદીને ઘરે લાવ્યા બાદ જોયું તો મોટાભાગના બોક્સ પરની એક્સપાયટી ડેટ લાભપાંચમ પહેલાની છે. એટલે કે મારે એક અઠવાડિયામાં બઘાયને પહોંચાડવી પડે. અને ત્યાર બાદ જે તે વ્યક્તિએ તેને ખાઇ લેવી પડે. એક અઠવાડિયા બાદ તે ખાવાલાયક ન રહે. આપણે મીઠાઇની ખરીદી વખતે કિંમત ખાસ જોતા હોઇએ છે. પરંતુ તેની એક્સપાયરી ડેટ નથી જોતા હતા. પરંતુ આજના કિસ્સા પરથી મારી તમામને અપીલ છે કે, એક્સપાયરી ડેટ જોવાનું રાખે નહિ તો ભુલમાં કોઇ બિનઆરોગ્યપ્રદ મીઠાઇ આરોગી જાય તો તે આપણા માથે આવે.</p>



<figure class="wp-block-image size-large"><img decoding="async" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/11/IMG_20231108_124516_227.jpg" alt="" class="wp-image-1416"/></figure>



<p>આ સાથે જ જ્યારે એક્સપાયરી ડેટ અંગે મેં સ્ટોલ પર જવાબદાર વ્યક્તિનું ધ્યાન દોર્યું તો તેણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, આટલું તો ચાલે જ ને. ખાદ્ય પદાર્થોમાં આ પ્રકારની અચોક્સાઇ બિમારી નોતરી શકે છે. આ અંગે મારા મિત્રનું ધ્યાન દોરતા તેણે કહ્યું કે, આ પ્રકારની ગફલત કોર્પોરેટ ગિફ્ટમાં પણ ચાલે છે. હવે માત્ર માર્કેટિંગના જોરે મિઠાઇનો ધંધો કરનારાઓથી લોકોએ ચેતવું જોઇએ. અને એક્સપાયરી ડેટ જોઇને જ ખરીદી કરવી જોઇએ, નહિ તો પૈસા પડવાની સાથે સંબંધો પણ ગુમાવવા પડી શકે છે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%b2%e0%ab%87%e0%aa%ac%e0%aa%b2-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%af%e0%aa%be-%e0%aa%b5/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>વડોદરાના કોમ્પલેક્ષ નીચે પાર્ક કરેલી કાર પર ઉપર પથ્થર અને લાકડા નું માળખું ફેંકાયું ,જવાબદારને કહેવા જતા મળી ધમકી, જુઓ ઘટનાના LIVE CCTV</title>
		<link>https://www.iamvadodara.com/stone-thrown-on-parked-car-in-raopura-vadodara/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=stone-thrown-on-parked-car-in-raopura-vadodara</link>
					<comments>https://www.iamvadodara.com/stone-thrown-on-parked-car-in-raopura-vadodara/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Mon, 30 Oct 2023 09:50:30 +0000</pubDate>
				<category><![CDATA[Vadodara City]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1413</guid>

					<description><![CDATA[વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાંડિયાબજારમાં રહેતા શખ્સનો ત્રાસ એ હદે વધી ગયો છે કે, તે પાર્ક કરેલી કાર પર ઉપરથી પથ્થર અને લાકડાનું માળખું ફેંકી રહ્યો છે. આ ઘટના સ્પષ્ટ રીતે સીસીટીવીમાં જોઇ શકાય છે. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશન કારના નુકશાનનો ભોગ બનનારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 26, ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી અરજી બાદ હજી સુધી કોઇ કાર્યવાહી...]]></description>
										<content:encoded><![CDATA[
<p></p>



<p>વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાંડિયાબજારમાં રહેતા શખ્સનો ત્રાસ એ હદે વધી ગયો છે કે, તે પાર્ક કરેલી કાર પર ઉપરથી પથ્થર અને લાકડાનું માળખું ફેંકી રહ્યો છે. આ ઘટના સ્પષ્ટ રીતે સીસીટીવીમાં જોઇ શકાય છે. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશન કારના નુકશાનનો ભોગ બનનારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 26, ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી અરજી બાદ હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવી હોવાનું અરજદાર જણાવી રહ્યા છે.</p>



<p><a href="https://www.instagram.com/reel/CzBKu2voBh5/?igshid=MzRlODBiNWFlZA==">https://www.instagram.com/reel/CzBKu2voBh5/?igshid=MzRlODBiNWFlZA==</a></p>



<p>વડોદરાના રાવપુરા વિસ્તારમાં વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે. જે અંગે દાંડિયાબજારના નવરંગ કોમ્પલેક્ષ પાસે આવેલા રામ ચેમ્બર્સમાં રહેતા આશિષકુમાર ઠક્કર દ્વારા રાવપુરા પોલીસ મથકમાં અરજી કરીને પરેશાન કરનાર આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 26, ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા અનુસાર, હું રામ ચેમ્બર્સમાં રહું છું. મારી કાર રામ ચેમ્બર્સ નીચે પાર્ક કરી હતી. 20, ઓક્ટોબરના રોજ સવારે જોતા મારી કારને નુકશાન થયું હતું. જે અંગે સીસીટીવી તપાસતા રાત્રે 3 – 50 કલાકે ઉપરથી પથ્થર ફેંકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રામ ચેમ્બર્સમાં રહેતો પુનિત નામનો શખ્સ આવી કરતુત કરતો હોય છે. આ પહેલા ફ્લેટમાં રહેતા તુલસીદાસ જેસ્વાણી દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં કારને નુકશાન થયા અંગેની અરજી કરી હતી.</p>



<p>અરજીમાં જણાવ્યા પ્રમાણે રામ ચેમ્બર્સમાં રહેતા તમામ પુનિતથી પરેશાન છે. આ અંગે તેની માતાને ફરિયાદ કરતા તેમણે જણાવ્યું કે, મારો પુત્ર મારા દિમાગ નથી. તે મંદબુદ્ધી ધરાવે છે. પણ અમને તે વિકૃત સ્વભાવનો હોય તેવું લાગી રહ્યું છે.</p>



<p>સીસીટીવીમાં પુનિત અગાસીમાં જતો અને પરત નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે. પુનિત દ્વારા કરવામાં આવેલા કૃત્યથી સોસાયટીના રહીશો ગભરાયેલા છે, અને ક્યારે પણ જીવલેણ બનાવ બની શકે છે. આવી માનસીકતાધરાવતા વ્યક્તિ પર પગલા ભરી અને ફરી આવું કૃત્ય ન કરે તે માટે તકેદારીના પગલા ભરવાનો અરજીમાં ઉલ્લેખ છે.</p>



<p>અરજી મુજબ, પુનિતનું પોતાનું ઘર નથી. તેના મામાનું ઘર છે. તે મુળ નડિયાદનો છે. તેના આવા કૃત્યોના કારણે તેના પિતાએ તેને કાઢી મુકેલો છે. તેને આમ કરતા અટકાવતા તે મને ખોટા કેસોમાં ફસાવી દેવા જણાવી રહ્યો છે. હવે આ મામલે ઉજાગર થતા પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/stone-thrown-on-parked-car-in-raopura-vadodara/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>વડોદરાનું અલકાપૂરી ગરનાળુ સમારકામની વાટ જોઇને બેઠું છે, પાલિકા કે રેલવે તંત્ર જલ્દી જવાબદારી નક્કી કરે તે જરૂરી</title>
		<link>https://www.iamvadodara.com/vadodara-railway-alkapuri-underpass-renovation/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=vadodara-railway-alkapuri-underpass-renovation</link>
					<comments>https://www.iamvadodara.com/vadodara-railway-alkapuri-underpass-renovation/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Team IAV]]></dc:creator>
		<pubDate>Mon, 19 Jun 2023 12:41:34 +0000</pubDate>
				<category><![CDATA[Vadodara City]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1333</guid>

					<description><![CDATA[વડોદરાનું રેલવે ગરનાળાની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું છે, આ વાતના અહિંયાથી પસાર થતા લોકો રોજ સાક્ષી બને છે. ચોમાસામાં પાણી ભરાઇ જવાથી લઇને ગટરની દુર્ગંધ મારવી અહિંયાની વર્ષો જૂની ખાસીયતોમાં સામેલ છે. ત્યારે કોની બેદરકારીને કારણે ગરનાળું આ પરિસ્થીતીમાં મુકાયું છે, તેને લઇને સોશિયલ મીડિયાની માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર ચર્ચા છેડાઇ જવા પામી છે. જેમાં સામાન્ય નાગરીકે ફરિયાદ કરતા રેલવેએ આ જવાબદારી પાલિકાની હોવાનું જણાવ્યું જ્યારે પાલિકાના કમિશનરે સ્પષ્ટતા...]]></description>
										<content:encoded><![CDATA[<p>વડોદરાનું રેલવે ગરનાળાની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું છે, આ વાતના અહિંયાથી પસાર થતા લોકો રોજ સાક્ષી બને છે. ચોમાસામાં પાણી ભરાઇ જવાથી લઇને ગટરની દુર્ગંધ મારવી અહિંયાની વર્ષો જૂની ખાસીયતોમાં સામેલ છે. ત્યારે કોની બેદરકારીને કારણે ગરનાળું આ પરિસ્થીતીમાં મુકાયું છે, તેને લઇને સોશિયલ મીડિયાની માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર ચર્ચા છેડાઇ જવા પામી છે. જેમાં સામાન્ય નાગરીકે ફરિયાદ કરતા રેલવેએ આ જવાબદારી પાલિકાની હોવાનું જણાવ્યું જ્યારે પાલિકાના કમિશનરે સ્પષ્ટતા કરી કે, ગરનાળુ રેલવે ઓથોરીટીની જવાબદારીમાં આવે છે. હવે આ મામલે જવાબદારીનો ખો એકબીજાને આપવાની જગ્યાએ નાગરિકની સમસ્યાનું ક્યારે સમાધાન આવે છે તે જોવું રહ્યું.</p>
<p>વડોદરાને રાજ્યની સંસ્કારી નગરી, કલા નગરી તરીકેનું ઉપનામ મળ્યું છે. અહિંયાના ગરબા વિશ્વ વિખ્યાત છે તો અહિંયાની કોલેજોમાં તૈયાર થતા આર્ટીસ્ટ દુનિયાભરમાં પોતાનું નામ કમાઇ ચુક્યા છે. પરંતુ શહેરમાં અનેક જગ્યાઓની સ્થિતી બદથી બદતર છે, આ કહેવામાં સહેજ પણ ખોટું નથી. આવી જ એક જગ્યા છે વડોદરાનું રેલવે સ્ટેશનું ગરનાળું. અહિંયાથી પસાર થતા સેંકડો વાહન ચાલકો દુર્ગંધ અને ખખડધજ્જ રસ્તાઓને લઇને રોજ પરેશાન થતા હોય છે. ચોમાસામાં તો અહિંયા ગટર ઉભરાવવાની ઘટનાઓ સામાન્ય બનતી હોય છે. ત્યારે સમસ્યાથી ત્રસ્ત દિવાંગ કિકાણી નામના યુઝરે ટ્વીટર પર રજૂઆત રૂપી ફરિયાદ કરતા લખ્યું કે,</p>
<p><strong>ડીઆરએમ સર, પાલિકાના કમિશનર પાસેથી અલકાપૂરી ગરનાળાના રિડેવલપમેન્ટને લઇને સગડ મેળવો. કલા નગરીમાં આ કદરૂપુ દેખાઇ રહ્યું છે. પાણી દદળે છે. આગ લાગ્યા બાદ અહિંયા કોઇ બ્યુટીફિકેશનના પગલા લેવામાં આવ્યા નથી.</strong></p>
<p><strong>જેના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર લખે છે કે, આ જવાબદારી રેલવે ઓથોરીટીની છે. અમે તેમને જાણ કરી દીધી છે.</strong></p>
<blockquote class="twitter-tweet" data-width="550" data-dnt="true">
<p lang="en" dir="ltr">It comes under <a href="https://twitter.com/CommissionerVmc?ref_src=twsrc%5Etfw">@CommissionerVmc</a> hence, kindly provide a suitable reply.</p>
<p>&mdash; DRM Vadodara (@DRMBRCWR) <a href="https://twitter.com/DRMBRCWR/status/1670464519469166592?ref_src=twsrc%5Etfw">June 18, 2023</a></p></blockquote>
<p><script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p>
<p>ઉપરોક્ત ટ્વીટના જવાબમાં ડીઆરએમ વડોદરા જણાવે કે, આ જવાબદારી વડોદરા પાલિકાની છે. યોગ્ય જવાબ જણાવવો</p>
<p>આમ, આ અંગેની સ્પષ્ટ જવાબદારી કોઇ વિભાગ લેવા તૈયાર નથી. વડોદરાના લોકોને કોની જવાબજદારીમાં આવે છે તે વાતથી ઓછી નિસ્બત છે. અને આ સમસ્યાનો સત્વરે નિકાલ આવે તેમાં વધારે રસ છે. હવે તે જોવું રહ્યું કે, આખરમાં જવાબદારી કોની સામે આવે છે. અને જવાબદારી સ્પષ્ટ થયા બાદ નાગરિકોની સુખાકારી માટે શું પગલાં અને કેટલા સમયમાં લેવામાં આવે છે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/vadodara-railway-alkapuri-underpass-renovation/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ફાધર્સ ડે સ્પેશિયલ: દિકરાનું ભણતર ન બગડે તે માટે વડોદરાના ફૂટપાથ પર રહી પિતાએ વર્ષો સુધી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો</title>
		<link>https://www.iamvadodara.com/vadodara-fathers-day-special-story/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=vadodara-fathers-day-special-story</link>
					<comments>https://www.iamvadodara.com/vadodara-fathers-day-special-story/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Team IAV]]></dc:creator>
		<pubDate>Sun, 18 Jun 2023 05:31:54 +0000</pubDate>
				<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[#fathersday]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1328</guid>

					<description><![CDATA[સંતાનો માટે માતા-પિતા બંનેનું મહત્વ સરખું હોય છે. પરંતુ માતા વિશે વધુ લખાયુ, કહેવાયું છે તેટલું પિતા વિશે નથી કરાયું. જેથી તેમનું બલિદાન સામાન્ય રીતે માતાની તુલનામાં ઓછું આંકવામાં આવે છે. પરંતુ ફાધર્સ ડે પર વડોદરાના પિતાના બલિદાનની કહાની તમારૂ દિલ દહેલાવી દે તેવી છે. માતાના અવસાન બાદ પુત્રનું ભણતર ન બગડે તે માટે પિતાએ ફૂટપાથ પર રહી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો હતો. આજે પુત્ર ધો. 8 માં અભ્યાસ...]]></description>
										<content:encoded><![CDATA[<p>સંતાનો માટે માતા-પિતા બંનેનું મહત્વ સરખું હોય છે. પરંતુ માતા વિશે વધુ લખાયુ, કહેવાયું છે તેટલું પિતા વિશે નથી કરાયું. જેથી તેમનું બલિદાન સામાન્ય રીતે માતાની તુલનામાં ઓછું આંકવામાં આવે છે. પરંતુ ફાધર્સ ડે પર વડોદરાના પિતાના બલિદાનની કહાની તમારૂ દિલ દહેલાવી દે તેવી છે. માતાના અવસાન બાદ પુત્રનું ભણતર ન બગડે તે માટે પિતાએ ફૂટપાથ પર રહી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો હતો. આજે પુત્ર ધો. 8 માં અભ્યાસ કરી રહ્યો છે.</p>
<p>18 જૂનનો દિવસ દુનિયામાં ફાધર્સ ડે તરીકે ઉજવાય છે. આમ તો, કોઇ પણ સંતાનનો પહેલો હીરો તેના પિતા જ હોય છે. પિતા એવું પાત્ર છે કે, સંતાનો માટે કેટલું ય જતું કરી દે, છતાં મોંઢામાંથી એક શબ્દ પણ ન કાઢે. આજે વડોદરામાં આવીને વસેલા અને કપરા દિવસો જોયેલા એક પિતાની કહાની તમારા સમક્ષ કરવા જઇ રહ્યું છે.</p>
<p><strong>• ભાવેશના જન્મના આશરે 4 વર્ષ બાદ મારી પત્નીનું નિધન થયું</strong></p>
<p>મુળ મહેસાણા પાસેના ગામના ભરતભાઇ દેવીપૂજક આજથી આશરે 15 વર્ષ પહેલા તેમના પત્ની સાથે વડોદરામાં કામ શોધવા માટે આવ્યા હતા. ભરતભાઇએ જણાવ્યું કે, વડોદરામાં આવ્યા બાદ દુકાનમાં કામ શરૂ કર્યું હતું. ત્યારે હું અને મારી પત્ની ભાડાના મકાનમાં રહેતા હતા. દાંપત્ય જીવન દરમિયાન અમને સંતાનમાં એક પુત્ર ભાવેશ છે. ભાવેશના જન્મના આશરે 4 વર્ષ બાદ મારી પત્નીનું નિધન થયું હતું. ત્યાર પછી જીવનના કપરા દિવસો શરૂ થયા હતા. ક્યારેક કામ મળે અને ક્યારે કામ ન પણ મળે, જેમ તેમ દિવસો પસાર કરતા હતા. આ સમયે મકાનનું ભાડું આપી ન શકવાને કારણે ભાવેશ સાથે રોડ પર આવી જવું પડ્યું હતું. પણ મનમાં એવી ઘગશ કે જે કંઇ થાય મારા સંતાનનું ભણવાનું બંધ ન થવું જોઇએ.</p>
<p><img loading="lazy" decoding="async" class="size-medium wp-image-1329 alignright" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-10.53.28-225x300.jpg" alt="" width="225" height="300" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-10.53.28-225x300.jpg 225w, https://www.iamvadodara.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-10.53.28-768x1024.jpg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-18-at-10.53.28.jpg 960w" sizes="(max-width: 225px) 100vw, 225px" /></p>
<p>&nbsp;</p>
<p><strong>• આજે બેંકની ચોપડી ક્યાં છે તેની ખબર નથી</strong></p>
<p>વધુમાં ભરતભાઇ જણાવે છે કે, રોડ પર આવ્યા બાદ જે કોઇ જમવાનું આપે તે જમી લેતો, કામ મળે તે કરી લેતો હતો. અમારૂ જૂનું બેંક એકાઉન્ટ હતું, તેની ચોપડી પ્લાસ્ટીકની થેલીમાં સાચવીને રાખી હતી. જ્યારે પૈસા મળે તો ત્યાં જઇને જમા કરાવી આવતો હતો. કેટલાય વર્ષો રસ્તા પર જ તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો તે આજે યાદ નથી. મારા દિકરાને ભણવા ગાજરાવાડી વિસ્તારમાં આવેલી સ્કુલમાં ભણવા મોકલ્યો હતો. અને મારા એક પરિચીતના ઘરે તે રહેતો હતો. તેને ભણવામાં જે કંઇ જોઇએ તે હું લાવી આપતો હતો. સમયે સમયે તેને મળવા પણ જતો હતો. આજે બેંકની ચોપડી ક્યાં છે તેની ખબર નથી.</p>
<p><strong>• તેઓ સારા હતા એટલે તેમણે ત્યાં એડમિશનની વ્યવસ્થા કરી આપી</strong></p>
<p>વર્ષો પહેલા એક દિવસ મારો દિકરાને શાળામાં રજા હોવાથી અમે બંને ફૂટપાથ પર બેઠા હતા. તેવામાં કોઇ સરકારી અધિકારી આવ્યા હતા. અને તેમણે મારા બાળકને રહેવાની સુવિધાઓ વાળા બાળ ગોકુલમમાં એડમિશન અંગે વાત કરી હતી. તેઓ સારા હતા એટલે તેમણે ત્યાં એડમિશનની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારથી મારો દિકરો બાળ ગોકુલમમાં રહીને ભણે છે. અને રજા હોય તે દિવસે હું અચુક તેને મળવા જાઉં છું.</p>
<p>•<strong> ફૂટપાથની જગ્યાએ મને અહિંયા સુવિધાસભર શેલ્ટર હોમમાં જોઇને ખુબ ખુશ થયો</strong></p>
<p>અત્યારે મારો દિકરો ધો. 8 માં આવ્યો છે. અત્યાર સુધીમાં તે એક પણ વખત નાપાસ નથી થયો. પહેલા હું ફૂટપાથ પર દિવસો કાઢતો હતો, હવે શ્રવણ સેવા ફાઉન્ડેશન થકી હું પાલિકાના અટલાદરા શેલ્ટર હોમમાં રહું છું. થોડાક સમય પહેલા જ મારા દિકરાનું વેકેશન હોવાથી તે અહિંયા આવ્યો હતો. અને ફૂટપાથની જગ્યાએ મને અહિંયા સુવિધાસભર શેલ્ટર હોમમાં જોઇને ખુબ ખુશ થયો હતો.</p>
<p>• <strong>પુત્રનું સ્વપ્ન પૂર્ણ કરવા હું તેને તમામ મદદ કરીશ</strong></p>
<p>મારો દિકરો મોટો થઇને આર્મીમાં જવા ઇચ્છે છે. તેનું સ્વપ્ન પૂર્ણ કરવા હું તેને તમામ મદદ કરીશ. તાજેતરમાં મારો દિકરો વેકેશનમાં મારી સાથે રહેવા આવ્યો ત્યારે તેને શ્રવણ સેવા ફાઉન્ડેશનમાં ઇન્ટરર્ન વિદ્યાર્થીઓએ શીખવ્યું હતું. તે વધુ સારા માર્કસ કેવી રીતે મેળવે, તથા ગણીત અને વિજ્ઞાનના વિષયોને રસપૂર્વક સમજાવ્યા હતા. વેકેશનમાં મારો પુત્ર બિમાર થતા તેને નિરવભાઇ ઠક્કર અને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરી દવાઓ અને સારવાર પણ કરાવી આપવામાં આવી હતી. હવે મારા પુત્રને ભણાવવું તે જ મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/vadodara-fathers-day-special-story/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>સ્ક્રિન પર રાજા રામનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર અરૂણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા, પ્રભુશ્રી રામના ધામમાં શીશ ઝુકાવ્યું</title>
		<link>https://www.iamvadodara.com/ramayan-serial-actor-arun-govil-visit-ayodhya-ram-mandir/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=ramayan-serial-actor-arun-govil-visit-ayodhya-ram-mandir</link>
					<comments>https://www.iamvadodara.com/ramayan-serial-actor-arun-govil-visit-ayodhya-ram-mandir/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Mon, 24 Apr 2023 03:55:22 +0000</pubDate>
				<category><![CDATA[National News]]></category>
		<category><![CDATA[#Rammandir #Ayodhya]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1325</guid>

					<description><![CDATA[90ના દાયકાની ‘રામાયણ’ તો યાદ જ હશે. રામાનંદ સાગર નિર્મિત આ ધાર્મિક સિરીયલને દરેક લોકોએ પસંદ કરી હતી ને આજે પણ કરે છે. દર્શકોએ તો રામાયણના દરેક પાત્રોને ભગવાન માનીને પૂજવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, હવે દર્શકો માટે ફરી એક વાર સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ફરી એક વાર ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનારા અભિનેતા અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા એક પ્રોજેક્ટમાં જોવા મળશે તે કઈ રીતે...]]></description>
										<content:encoded><![CDATA[
<p> 90ના દાયકાની ‘રામાયણ’ તો યાદ જ હશે. રામાનંદ સાગર નિર્મિત આ ધાર્મિક સિરીયલને દરેક લોકોએ પસંદ કરી હતી ને આજે પણ કરે છે. દર્શકોએ તો રામાયણના દરેક પાત્રોને ભગવાન માનીને પૂજવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, હવે દર્શકો માટે ફરી એક વાર સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ફરી એક વાર ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનારા અભિનેતા અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા એક પ્રોજેક્ટમાં જોવા મળશે તે કઈ રીતે આવો જાણીએ.</p>



<p>મહત્વનું છે કે, રામ મંદિરના આંદોલન પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેના મુખ્ય પાત્રમાં દૂરદર્શન પર પ્રસારિત થઈ ચૂકેલી ‘રામાયણ’ સિરીયલના અરૂણ ગોવિલ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ માટેનું શૂટિંગ શરૂ કરતા પહેલાં તેઓ રામલલ્લાના દર્શન અને પૂજા કરતાં જોવા મળ્યા હતા. શુક્રવારે (21 એપ્રિલે) અયોધ્યા નગરીમાં તેમનું આગમન થયું હતું ને 22 એપ્રિલ (શનિવારે) તેમણે ભગવાનની ધરતી પર શિશ ઝૂકાવ્યું હતું.</p>



<figure class="wp-block-image size-large"><img decoding="async" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/04/IMG-20230423-WA00061.jpg" alt="" class="wp-image-1323"/></figure>



<p>ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે એ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે, જે રામ મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. સૂત્રોના મતે, ઢાંચાને નુકસાન પહોંચાડવા, મંદિર પર ચુકાદા અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનના કાર્યક્રમને ફિલ્મમાં મુખ્ય જગ્યા આપવામાં આવી છે. આ ફિલ્મના શૂટિંગ માટે દિગંબર અખાડા, અચારી મંદિર અને દશરથ મહેલ સ્થાનની પસંદગી કરવામાં આવી છે. કારણ કે, આંદોલનમાં આ મંદિરોની મુખ્ય ભૂમિકા હતી.</p>



<p>વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, અરૂણ ગોવિલે શનિવારે સવારે 8 વાગ્યે રામલલ્લાના દર્શન અને પૂજા કરવાની સાથે સાથે મંદિર નિર્માણનું કાર્ય પણ નિહાળ્યું હતું. ત્યાંની અનેક તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ તેમના ધર્મપત્નીની સાથે જોવા મળી રહ્યા છે. જોકે, હવે તેઓ ફરી અરૂણ ગોવિલ મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. તે તેમના ફેન્સ માટે મોટી ભેટથી ઓછું નથી. બીજી તરફ તેમના પાત્ર અને રિલીઝ ડેટ અંગે કોઈ જાણકારી નથી.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/ramayan-serial-actor-arun-govil-visit-ayodhya-ram-mandir/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>છેલ્લા ત્રણ વર્ષથી ઘરથી વિખુટા પડેલા નિઃસહાય વૃદ્ધનું પરિવાર જોડે &#8220;શ્રવણ&#8221;એ કરાવ્યું મિલન, પોલીસે ભજવી મહત્વની ભૂમિકા</title>
		<link>https://www.iamvadodara.com/vadodara-shravan-seva-nirav-thakkar-help-to-meet-family/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=vadodara-shravan-seva-nirav-thakkar-help-to-meet-family</link>
					<comments>https://www.iamvadodara.com/vadodara-shravan-seva-nirav-thakkar-help-to-meet-family/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Fri, 24 Mar 2023 15:33:42 +0000</pubDate>
				<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[#Vadodarapolice #Vadodara #Baroda]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1318</guid>

					<description><![CDATA[&#160; મેં લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે મદદ માંગી &#8211; નીરવ ઠકકર સમગ્ર મામલે અટલાદર શેલ્ટર હોમનું સંચાલન કરતા અને શ્રવણ સેવાના ફાઉન્ડર નીરવ ઠકકર જણાવે છે કે, વડોદરાના પૂર્વ મેયર અને સાયજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા દ્વારા તેમના મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન છેલ્લા દિવસે નિઃસહાય વૃદ્ધો માટે અટલાદર શેલ્ટર હોમના દરવાજા ખોલાવ્યાં હતા. શેલ્ટરમાં આશરો લઈ રહેલા ધીરુભાઈની ઉંમર આશરે 55 વર્ષ છે. તેઓ અવાર નવાર તેમના પરિવારને...]]></description>
										<content:encoded><![CDATA[
<p>&nbsp;</p>



<p><em>મેં લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે મદદ માંગી &#8211; નીરવ ઠકકર</em></p>



<p>સમગ્ર મામલે અટલાદર શેલ્ટર હોમનું સંચાલન કરતા અને શ્રવણ સેવાના ફાઉન્ડર નીરવ ઠકકર જણાવે છે કે, વડોદરાના પૂર્વ મેયર અને સાયજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા દ્વારા તેમના મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન છેલ્લા દિવસે નિઃસહાય વૃદ્ધો માટે અટલાદર શેલ્ટર હોમના દરવાજા ખોલાવ્યાં હતા. શેલ્ટરમાં આશરો લઈ રહેલા ધીરુભાઈની ઉંમર આશરે 55 વર્ષ છે. તેઓ અવાર નવાર તેમના પરિવારને યાદ કરતા હતા. પછી મેં ધીરે ધીરે તેમની સાથે સંવાદ સાધીને પરિવાર વિષે વધુ જાણવાનો પ્રયાસ કર્યો. તેમની સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, તેઓનો પરિવાર વલસાડના ડુંગરી વિસ્તારમાં રહે છે. વાત જાણતા જ મેં લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે મદદ માંગી હતી.</p>



<figure class="wp-block-image size-large"><img decoding="async" class="wp-image-1315" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/03/IMG-20230324-WA0004-1024x768.jpg" alt="" /></figure>



<p><em>જ્યારથી મારા પિતા ગુમ થયા છે, ત્યારથી અમે અલગ અલગ જગ્યાઓએ જઈને માનતા રાખી રહ્યા છે</em></p>



<p>નીરવ ઠક્કરે જણાવ્યું કે, સ્થાનિક પોલીસે ધીરુભાઈની ઓળખ કરી લીધી હતી. અને તપાસમાં સામે આવ્યું કે ચોપડે ધીરુભાઈ પટેલ ત્રણ વર્ષથી લાપતા હતા. આજે ધીરુભાઈ પટેલને તેમનો પરિવાર પોલીસ સાથે રાખીને લેવા આવ્યો હતો. ધીરુભાઈની જોતા જ તેમના પુત્રોની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમના પુત્રએ જણાવ્યું કે, જ્યારથી મારા પિતા ગુમ થયા છે, ત્યારથી અમે અલગ અલગ જગ્યાઓએ જઈને માનતા રાખી રહ્યા છે. છેલ્લે ધીરે ધીરે અમે પણ આશા ગુમાવી રહ્યા હતા. પણ અચાનક પોલીસે સંપર્ક કરતા અમે 24 જ કલાકમાં અમારા પિતાને લઈ જવા આવ્યા છીએ. પુત્રએ તેમન પણ જણાવ્યું કે, ઘરમાં બોલાચાલી બાદ મારા પિતા નીકળી ગયા હતા. આજે ત્રણ વર્ષ બાદ તેઓ મળી આવતા અમારા જીવમાં જીવ આવ્યો છે.</p>



<p><strong><em>પરિવારને જોઈને ધીરુભાઈ પણ લાગણીસભર થઈ રડી પડ્યા હતા</em></strong></p>



<figure class="wp-block-image size-large"><img loading="lazy" decoding="async" width="1024" height="768" class="wp-image-1316" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/03/IMG-20230324-WA0006-1024x768.jpg" alt="" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2023/03/IMG-20230324-WA0006-1024x768.jpg 1024w, https://www.iamvadodara.com/wp-content/uploads/2023/03/IMG-20230324-WA0006-300x225.jpg 300w, https://www.iamvadodara.com/wp-content/uploads/2023/03/IMG-20230324-WA0006-768x576.jpg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2023/03/IMG-20230324-WA0006-1536x1152.jpg 1536w, https://www.iamvadodara.com/wp-content/uploads/2023/03/IMG-20230324-WA0006.jpg 1600w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<p>નીરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું કે, પરિવારને જોઈને ધીરુભાઈ પણ લાગણીસભર થઈ રડી પડ્યા હતા. જતા જતા તેમને શ્રવણ સેવાની ટીમને આશીર્વાદ આપ્યા હતા. અને આ સેવા વર્ષોવર્ષ ચાલે, અનેક લોકોને તેમનો પરિવાર મળે તે માટે કાર્યરત રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ખુશીના હકદાર શ્રવણ સેવા સંસ્થાની સાથે ધારાસભ્ય કેયુર રોકડીયા, પાલિકાના UCD ડિપાર્ટમેન્ટના ક્રિષ્નાબેન સોલંકી અને તેમની ટીમ તથા અમારી સાથે જોડાયેલા અન્ય સેવાભાવી લોકો પણ છે.</p>



<p><em>દોઢ મહિને નાનાભાઈ પરમારને પણ મળ્યો પરિવાર</em></p>



<p>નીરવ ઠક્કરના જણાવ્યા અનુસાર, શ્રવણ સેવાના શેલ્ટરમાં આશરો લઈ રહેલા નાનાભાઈ પરમાર દોઢ મહિનાથી ઘરેથી નીકળી ગયા હતા. પરત જવાનો કોઈ રસ્તો ન મળતા તેઓ નિઃસહાય જીવન વ્યતીત કરતા હતા. તેમને વાતચીતમાં તેમનો પરિવાર કોટમબીમાં રહેતા હોવાનુ જણાવ્યું હતું. સ્થાનિક પોલીસે ગ્રામપંચાયતનો સંપર્ક કરીને પરિવારની ભાળ મેળવી હતી. અને આજે તેઓને લેવા પહોંચ્યા હતા. આજે એક જ દિવસમાં બે લોકોને પરિવારનો ભેંટો થયો હતો. M)8000402870 Shravan Seva</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/vadodara-shravan-seva-nirav-thakkar-help-to-meet-family/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>સતત છઠ્ઠા માં વર્ષે દિવાળી પર વડોદરા માંથી   બનાવેલ કાર્ડ બોર્ડર પર તૈનાત જવાનોને મોકલાશે</title>
		<link>https://www.iamvadodara.com/this-diwali-hand-made-cards-send-to-kutch-border-by-be-the-change-group/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=this-diwali-hand-made-cards-send-to-kutch-border-by-be-the-change-group</link>
					<comments>https://www.iamvadodara.com/this-diwali-hand-made-cards-send-to-kutch-border-by-be-the-change-group/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Sat, 15 Oct 2022 13:00:27 +0000</pubDate>
				<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[#Baroda]]></category>
		<category><![CDATA[#Diwali2022]]></category>
		<category><![CDATA[#festival]]></category>
		<category><![CDATA[#Vadodara]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1301</guid>

					<description><![CDATA[M.S.U.ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન અને ‘બી ધ ચેન્જ’ ગૃપ નું કેમ્પેન Aabhar 6.0 આ વર્ષે Aabhar 6.0 અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે.” પાછલા પાંચ વર્ષથી Aabhar પ્રવૃત્તિનાં ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે. દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ‘બી ધ ચેન્જ’ અને M.S.U. બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ કચ્છ બોર્ડર પર તેનાત BSFનાં જવાનોને હાથથી બનાવેલા કાર્ડ્સ...]]></description>
										<content:encoded><![CDATA[<ul>
<li><span style="color:#ff0000;">M.S.<strong>U.ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન અને ‘બી ધ ચેન્જ’ ગૃપ નું  કેમ્પેન Aabhar 6</strong>.0</span></li>
<li><span style="color:#ff0000;"><strong>આ વર્ષે Aabhar 6.0 અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે.”</strong></span></li>
<li><span style="color:#ff0000;"><strong>પાછલા પાંચ વર્ષથી Aabhar પ્રવૃત્તિનાં ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે.</strong></span></li>
</ul>
<p>દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ‘બી ધ ચેન્જ’ અને M.S.U. બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ કચ્છ બોર્ડર પર તેનાત BSFનાં જવાનોને હાથથી બનાવેલા કાર્ડ્સ મોકલશે.પાછલા પાંચ વર્ષથી #Aabhar પ્રવૃત્તિનાં ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે. તા.૧૫/૧૦/૨૦૨૨ નાં રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ જવાનો માટે કાર્ડ બનાવ્યા હતા.</p>
<p><img loading="lazy" decoding="async" class="size-medium wp-image-1305 alignleft" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-6.21.46-PM-295x300.jpeg" alt="" width="295" height="300" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-6.21.46-PM-295x300.jpeg 295w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-6.21.46-PM.jpeg 738w" sizes="(max-width: 295px) 100vw, 295px" /></p>
<p><strong>ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના સેનેટ સભ્ય અને બી ધ ચેન્જ ગૃપનાં ફાઉન્ડર </strong><span style="color:#ff0000;"><strong>સરલ પટેલે</strong></span><strong> જણાવ્યું હતું કે,” ૨૦૧૬માં ઉરી હમલા બાદ અમને આ પ્રવૃત્તિ કરવાનો વિચાર આવ્યો.</strong> જેમાં દેશના જવાનો ભારત માતાની રક્ષામાં રાત દિવસ દેશની સીમાઓ પર તેનાત રહે છે,તેમનો હાથથી બાનાવેલા દિવાળી કાર્ડથી આભાર વ્યક્ત કર્યે. વર્ષ ૨૦૧૬માં ૭૫૦ કાર્ડ ઉરી ખાતે, ૨૦૧૭માં ૧૦૦૦ કાર્ડ કાશ્મીર ખાતે, ૨૦૧૮માં ૧૫૦૦ કાર્ડ બાલાકોટ ખાતે,2019 માં 2000 કાર્ડ કાશ્મીર અને કચ્છ ખાતે અને ૨૦૨૧માં ૩૦૦ કાર્ડ કચ્છ મોકલ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે,” આ વર્ષે<strong> #Aabhar 6.0</strong> અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે.”</p>
<p><img loading="lazy" decoding="async" class="wp-image-1303 alignright" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-2-300x169.jpeg" alt="" width="328" height="185" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-2-300x169.jpeg 300w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-2-768x432.jpeg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-2.jpeg 1024w" sizes="(max-width: 328px) 100vw, 328px" /></p>
<p>M.S.U. ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી મોહિત ભોઈતે એ જણાવ્યું કે,”વર્ષો બાદ આપણા દેશના જવાનો માટે હાથથી કાર્ડ બનાવ્યાનો આનંદ અનેરો છે.સાથે જ યુવા પેઢીએ આવી પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ .આપણે તો દેશની સેવામાં દિવસ રાત ઉભા નથી રહી શકતા, પણ એક કાર્ડથી તેમનો આભાર વ્યક્ત કરી શક્યે છે.”</p>
<p><img loading="lazy" decoding="async" class="size-medium wp-image-1304 alignleft" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-3-300x169.jpeg" alt="" width="300" height="169" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-3-300x169.jpeg 300w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-3-768x432.jpeg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-5.57.35-PM-3-rotated.jpeg 1024w" sizes="(max-width: 300px) 100vw, 300px" /></p>
<p>ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ આનંદ પૂર્વક ભાગ લીધો અને 500 થી વધુ કાર્ડ બનાવ્યા. સંસ્કારી નગરી વડોદરા થી શરૂ થયેલ પહેલ, સતત છ વર્ષથી દિવાળીની શુભેચ્છાઓ દેશની સીમાઓ પર આભાર થકી પહોંચાડી રહી છે.</p>
<p>જો તમે પણ તમારા તમારા બનાવેલ કાર્ડ આપવા માંગતા હોવ તો સોમવાર સુધી તમે અમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર મેસજ કરી શકો છો.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/this-diwali-hand-made-cards-send-to-kutch-border-by-be-the-change-group/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
